પ્રાર્થના આપની એક જ ,સમર્થ બને ગુજરાત
ગુજ્જુઓ ના શ્રેય થી ,વિશ્વ માં ધન્ય બને ગુજરાત
નર્મદા ના પવિત્ર જળ થી , પાણીવંત બને ગુજરાત
સંતો ની આ શુદ્ધ ભૂમિ , પુણ્યશાળી બને ગુજરાત
વિકાસ ના દરેક પંથ માં , ગતિશીલ બને ગુજરાત
પ્રગતિ ના હરેક ક્ષેત્ર માં ,ગૌરવશાળી બને ગુજરાત
જ્ઞાની ઓ ના તેજોવલય થી ,પ્રકાશિત બને ગુજરાત
રાજનેતા ઓ ના સંગઠન થી સુવાસિત બને ગુજરાત
બેટી ઓ ના કલ કલ નાદ થી ,આનંદી બને ગુજરાત
સત્ય અહિંસા ના સાદ થી , ગાંધીવાદી બને ગુજરાત
પરમાત્મા નો પ્રિય જન પામે , જન્મભૂમિ ગુજરાત
ભારત ના ભાગ્ય પરિવર્તન નું સરદાર બને ગુજરાત
સરદાર બને ગુજરાત
ઓમ માં ઓમ
જયા ઉપાધ્યાય
Click here to Reply or Forward
|
કવિતા બહુ સરસ છે પણ કેટલાક પટેલ ભાઈઓ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ બોળવા તૈયાર થયા છે અને સમાચાર માધ્યમના કેટલાક ગુજ્જુ વિશ્લેષકો આ પટેલ ભાઈઓની લડતને ફૂંકો મારી મારીને સળગતી રાખવા માગે છે તેમને ક્યાં ગુજરાતની અસ્મિતાની પડી છે? સરદાર પટેલે આ પટેલ ભાઈઓને ભડના દિકરા બનાવેલા અને બાબુભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ જેવા નેતાઓ જેઓએ નહેરુવીયન કોંગ્રેસને તાબેદારી સ્વિકારી નહીં અને પટેલભાઈઓના નામને અને ગુજરાતને રોશન કરેલ, તેઓને આ નહેરુવીયન વંશજોએ ગબડાવેલ, તે જ નહેરુવીયન કોંગ્રેસના ખોળામાં (તેમના હાલના વડીલ કેશુભાઈ પટેલ સહિત ) બેસી ગયેલ છે તેનું શું? હવે આ પટેલ ભાઈઓ પોતાને હરિજન ખપાવવા માટે અનામતીયા થયા છે. ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ જેવા નેતાઓ આપ્યા છે. હાલમાં જ નરેન્દ્ર મોદી જેવા મહેનતુ, દેશપ્રેમી, ત્યાગવાન અને આર્ષદૃષ્ટા નેતા મળ્યા છે તેવે સમયે આ જ પટેલ ભાઈઓ ગુજરાતને માથે કલંક હોય તેવી કામગીરી કરી રહ્યા છે. ઈશ્વર તેમને સદબુદ્ધિ આપે.
LikeLike
તમારી પ્રાર્થનામાં હું પણ સામીલ છું.
LikeLike
ઈચ્છું છું કે આપણી પ્રાર્થના ફળે.
LikeLike