આજે વિશ્વ પુસ્તક દિવસ નિમ્મીતે આપ સર્વને ખુબ શુભેચ્છા
પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યા અને તેમના પત્ની શ્રીમતી રમાબેન પંડ્યા ને વંદન
સારું ગુજરાતી સાહિત્ય દરેંક જિજ્ઞાસુ સુધી પહોચે એ આશ્રય થી અને મુ. પ્રતાપભાઈ પંડ્યા ના સોજન્ય થી ” પુસ્તકપરબ દ્વારા અગણિત પુસ્તકો પ્રતાપભાઈએ વાચકો ને પહોચતા કર્યા છે.પુસ્તક ને પરમેશ્વર માની પુસ્તક મારફતે માનવ જાતની સેવા આપતા દંપતી ડો પ્રતાપભાઈ પંડ્યા અને રમાબેન પંડ્યા ગુજરાતના ૧૨૦ પુસ્તકાલય ખોલીને હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓની વાંચનની ભૂખ..સંતોષવા પુસ્તકાલયો શરુ કર્યા છે .માતૃભાષા ગુજરાતી ના હિમાયતી અને ઉતમ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી શ્રી પ્રતાપભાઈ પંડ્યાએ ગુજરાતીમાં પી.એચ.ડી કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં એ વિદ્યાધિકારી (એજ્યુકેશન ઓફિસર) રહી ચૂકયા છે. અને સ્વય પુસ્તકો પણ લખ્યાં છે. હાલ એ વડોદરાના ગુજરાત પુસ્તકાલયના પ્રમુખ છે. એ ઉપરાંત અન્ય સેવાકીય સંસ્થાઓં માં ત્રષ્ટિ સભ્ય રહીને ૧૦ વરસ તન મન ધન થી કોઈ અપેક્ષા વિના કામ કરી સેવા આપી છે.આદર્શ નમ્રતા સરળતા જેવા ગુણોને લીધે લોકોનો પ્રેમ મેળવીને સૌના વ્હલા “પંડ્યા કાકા”સર્વત્ર સૌના સ્વજન બની ગયા છે.એમણે જીવન ગ્રામ શિક્ષણનો તથા ગુજરાતી વાંચનનો પ્રસાર કરવામાં સમર્પીત કર્યું છે.પ્રતાપભાઈએ એમના નિવૃત્તિ–ફંડનો સદુપયોગ કરી ‘પુસ્તક પરબ‘. ચલાવે છે.સમસ્ત ગુજરાતનો પ્રવાસ કરી ૫૦૦ ઉપરાંત ખાનગી પુસ્તકાલય ની જાતે મુલાકાત લઇ બંધ પડેલા પુસ્ત્કાલને પોતાના ખર્ચે મદદ કરી પુસ્તકાલય પ્રવૃત્તિ ધમ ધમતી કરી છે અને “પુસ્તક પરબ” નામની સંસ્થા સ્થાપી ગુજરાતમાં ૧૨૦ ઘર પુસ્તકાલયો પાંચ વરસથી ચલાવે છે.દરેક વાંચકોને સરળતાથી પુસ્તકમળે એવી વ્યવસ્થા કરી સરળ સંચાલન કરે છે .પ્રતાપભાઈ પુસ્તકોનું દાન કરે છે, એટલુંજ નહિ,લોકોને પુસ્તક પરબો શરૂ કરવામાં મદદ કરી એમનું સંચાલન કરવાનું માર્ગદર્શનપણ આપે છે. અને તેથીજ એમના કાર્ય માટે પૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં પ્રતાપભાઈનું સન્માન કર્યું હતું. તેમના ધર્મ પત્ની શ્રીમતી રમાબેન માતા પિતાના ઉત્તમ સંસકારો સાથે જીવે છે જેણે પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ઉતમ ચિંતક સર્જક સાહિત્યકાર મુશ્રી મનુભાઈ પંચોલી પાસેથી મેળવી પ્રમાણિક નિષ્ઠાવાન શિક્ષક તરીકે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા ના એવોડ વિજેતા બની સમગ્ર ગુજરાતમાં આદર્શ શિક્ષક દંપતી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે પણ બન્ને પતિ પત્ની નો ધ્યેય એક જ છે આપણી માતૃભાષા ગુજરાતીને પરદેશમાં પણ જીવંત રાખવીઅને સમૃધ્ધ કરવી તેમજ લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં અને પુસ્તકો દ્વારા વાંચનની સંવેદના ખીલવવી અને નવા વિચારો સમાજને આપવા આ છે.એના એક નવા પગલા રૂપે 2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી “પુસ્તક પરબ” શરુ કરેલ અને વાંચન ની સંવેદના ખીલવી છે.સૌ પ્રાથમ સાનફ્રાન્સિસ્કો બે એરિયામાં આઈ. સી. સી.માં શરુ કર્યું અને બે એરિયાના સમગ્ર ગુજરાતીઓ માટે જ્ઞાન ને વહેતું મુક્યું,
પુસ્તકો વગરની આ દુનિયા કેવી હોત ?
શું માનવનો આટલો બધો માનસિક વિકાસ થયો હોત ?
આપણી આટલી બધી સભ્યતાઓ વિકસિત થઈ હોત ?
શું ગ્લોબલાઈઝેશનની શરૂઆત પુસ્તકો વિના થઈ હોત ?
શું માનવી ચંદ્ર સુધી પહોંચી શક્યો હોત ? ..
પુસ્તકોમાં એક શક્તિ છે. એક આખા જગતને બદલવાની, સમાજધર્મને કેળવવાની.
પુસ્તકના આ મહત્ત્વને સમજવા, સમજાવવા અને તેને કાયમ રાખવા .”વિશ્વ પુસ્તક દિવસ” નિમ્મીતે
“બેઠક”ના દરેક વાંચકો અને સર્જકોના વંદન
આજના ‘વિશ્વ પુસ્તક દિવસ’ની ઉજવણી નિમિત્તે ‘બેઠક’ ના દરેક સર્જક એક લેખ લખીને મોકેલે તો વિચારો , કેટલા લેખોનું સર્જન થાય! તો ઉઠાવો કલમ! ….એક પુસ્તક બનશે!
LikeLiked by 1 person
pustko jivnnma ras ane ghan pure che,divanu tel che.
LikeLiked by 1 person
Congratulations!!! Very nice..
LikeLike
ખૂબ ખૂબઅભિનંદન ,દીપ જલતો રહે.
LikeLike