“બેઠક” અને “જવનિકા” દ્વારા પ્રસ્તુતિ
રવિવાર તા.૨૦ માર્ચના સવારે ૧૦-૩૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી, મિલપીટાસના ઈન્ડિયા કોમ્યુનીટી સેંટરમાં,પ્રજ્ઞા દાદભાવાળા દ્વારા ચાલતી બેઠકમાં જાગૃતિ શાહ અને શ્રી શરદ દાદભાવાળાએ લીધી અનિલભાઈ ચાવડાની એક મુલાકાત અને અને બેઠકમાં સર્જાયું પાઠશાળાનું માહોલ જે બેઠકનો હમેશા પ્રયત્ન રહ્યો છે , જાણીતા ગુજરાતિ કવિ શ્રી અનિલ ચાવડા સાથે મુલાકાતમાં 25 થી વધુ લોકો એ હાજરી આપી હતી. Bay Area ના સાહિત્ય અને સંગીતના પ્રેમીયોએ એક મુલાકાત અનિલભાઈની સાથે રેડિયો જોકી જાગૃતિ શાહ અને શરદ દાદભાવાળા સાથે પ્રશ્નોતરીમાં માણી અને શ્રી અનિલભાઈના જવાબોનો આનંદ મેળવ્યો હતો. શ્રી અનિલભાઈએ કેવી રીતે નાનપણથી જ કવિતા લખવાની શરૂઆત કરેલી એની રસિક વાતો ઉપરાંત, કવિતા પ્રત્યેનો તેમના તીવ્ર લગાવની વાતો સમજાવી હતી. કવિતામાં કયા કયા તત્વો જરૂરી છે, એની સરળ શબ્દોમાં સમજ આપી હતી. બેઠકના હાજર રહેલા સર્જકોના લાભાર્થે અનિલભાઈએ કવિતામાં છંદ અને લયનું મહત્વ સમજાવ્યું હતું, અને પાદપૂર્તિ માટે એક પંક્તિ આપીને છંદમાં કેમ લખાય એની સમજણ આપી હતી.આમ કવિતા અંગે અને લખવા અંગેનું જરૂરી માર્ગ દર્શન અનીલ્ભૈએ પૂરું પાડ્યું
આખા સમય દરમ્યાન વાતાવરણ સ્નેહમિલન જેવું રહ્યું હતું. અંતમાં સ્વાદિષ્ટ ભોજન જમીને બધા છૂટા પડ્યા હતા.
અહેવાલ :પી.કે.દાવડા
ફોટા : રઘુભાઈ શાહ,ભાવિની વિપાણી
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
srs mhol thyo.abhnndn
LikeLike