કવિતાનો આસ્વાદ

કવિતાનો આસ્વાદ

આસ્વાદ કરાવનાર વ્યક્તિ સાહિત્યજગત જોડે સંલગ્ન હોવી જોઈએ. એને ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો અભ્યાસ હોવો જોઈયે, અને સાહિત્યના પ્રાચીન અને અર્વાચીન પ્રવાહોની માહીતિ હોવી જોઈયે.

કોઈપણ કવિતાનો આસ્વાદ કરાવતી વખતે, શરૂઆતમાં એ કવિ વિષે થોડી માહીતિ આપવી જોઈયે. એ કવિ ખાસ કવિ બાબતમાં જાણીતા છે, ઉદાહરણ તરીકે પ્રેમાનંદ આખ્યાનો માટે, અખો છપ્પા માટે, ભોજા ભગત ચાબખા માટે, અમૃત ઘાયલ ગઝલ માટે વગેરે..વગેરે.

ત્યારબાદ કવિતાના વિષયની ટુંકમાં ચર્ચા કરવી જોઈયે. આ વિષય માટે કવિએ અપનાવેલું કવિતાનું બંધારણ (છંદ, અલંકારો, ગીત, ગઝલ કે અન્ય) યોગ્ય છે કે નહિં, તેની ચર્ચા પણ કરી શકાય. પછી વારો આવે શીર્ષકનો. શીર્ષક સૂચક હોવું જોઈયે, આકર્ષક હોવું જોઈયે, ટુંકું હોય તો વધારે સારૂં પણ કોઈવાર લાંબા શીર્ષકની જરૂર પડી શકે,

પછી વારો આવે કાવ્યપંક્તિઓનો. કાવ્યપંક્તિઓને વિષયના સંદર્ભમાં સમજાવો, એમાં વપરાયલા પ્રતિકો અને ખાસ શબ્દોનું વિષેશ વિવરણ કરો. એમાં રહેલા ગર્ભિત ઈશારા, કવિના મનમાં રહેલા વિચારો વગેરેની સમજ આપો. એકે એક પંક્તિ સમજાવવી જરૂરી નથી, પણ એકપણ મહત્વની પંક્તિ રહી ન જવી જોઈયે.

ત્યારબાદ, કવિનો શું સંદેશ છે એની ચર્ચા કરો, અને અંતમાં ઉપસંહારમાં તમારા વિચારો લખો. કવિતામાં તમને જે જે ખામીઓ લાગે તેની ચર્ચા કરો, પણ તમારી મર્યાદાને ધ્યાનમાં રાખીને.

હવે આપણે ઉદાહરણ તરીકે એક નાટ્યગીતનો રસાસ્વાદ લખીયે.

http://mavjibhai.com/MadhurGeeto/104_Mithalagya.htm મીઠા લાગ્યા તે મને

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.

આજના તે જાગરણે આતમા જગાડિયો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

પ્રભુલાલ દ્વિવેદી

પ્રભુલાલ દ્વિવેદી એટલે જૂની રંગભૂમીના બાદશાહ. દેશી નાટક સમાજ દ્વાર ભજવાયલા અને લોકપ્રિયતાની તમામ હદો તોડી ગયેલા નાટકો, એટલે પ્રભુલાલ દ્વિવેદીના નાટકો. માત્ર પટકથા સંવાદ જ નહિં, પણ નાટકના ગીતો પણ એ પોતે જ લખતા. એમના અતિ લોકપ્રિય નાટક વડિલોના વાંકેનું આ અતિ લોકપ્રિય ગીત છે. એક નવોઢા, કોઈ કામઅંગે બહાર ગયેલા, અને ગમે ત્યારે આવી પહોંચવાની સંભાવનાવાળા પતિની વાટ જૂએ છે, એનું આ ગીત છે. મોટા ભાગના નાટક-સિનેમા માટે લખાયલા ગીતોનું શીર્ષક એ ગીતની પહેલી પંક્તિ જ હોય છે, અને અહીં પણ એ નિયમ જ પાળવામાં આવ્યો છે.

આપણે જાણીયે છીએ કે કોઈની અચોક્ક્સ સમય સુધી વાટ જોવાનું કેટલું કંટાળાજનક કામ છે, કોઈ ટ્રેઈન મોડી આવવાની હોય, એરપોર્ટ ઉપર વિમાન આવવાની રાહ જોતાં હોઈયે વગેરે ખૂબ જ કંટાળાજનક પ્રવૃતિ છે, અને તેમાં પણ રાતે મોડેથી આવું કરવાનું આવે તો માત્ર કંટાળાજનક જ નહિં પણ વસમું પણ લાગે.

આ ગીતમાં નવોઢા એના પતિની વાટ જૂએ છે. કવિએ અહીં પતિની વાટ માટે વહાલાની વાટ શબ્દો વાપર્યા છે, અર્ધો કંટાળો તો અહીં જ ઓછો થઈ જાય છે. અહીં કંટાળાને બદલે ઉત્સાહપુર્વકનો ઈંતેજાર આપોઆપ આવી જાય છે. એને ઉજાગરો વસમો નહિં પણ મીઠો લાગે છે. જ્યારે કોઈ મનપસંદ કામ માટે ઉજાગરો કરવો પડે ત્યારે એ ઉજાગરો ઉત્સવ બની જાય છે. અહીં કવિ માત્ર વહાલા કહીને જ નથી પતાવતા પણ નવોઢાના મનની લાગણી વધારે સ્પષ્ટ કરતાં એના માટે અલબેલા શબ્દ પણ વાપરે છે. એનો પતિ કંઈ સામાન્ય નથી, અલબેલો છે.

હવે કવિ એ વાટ જોતી નવોઢાની મનસ્થિતિને વધારે સ્પષ્ટ કરતાં કહે છે એને કોઈના પગલાંનાં ભણકારા વાગે છે, “એ આવ્યા..એ આવ્યા..” અને પછી જ્યારે સમજાય કે હજી નથી આવ્યા ત્યારે અંતરમાં ઉચાટ થાય છે, “બહું ઠીકઠાક તો હશેને?” આ ઉચાટને વધારે સ્પષ્ટ કરવા કવિ કહે છે, અમથો ઉચાટ. શંકા કરવાનું કોઈ કારણ નથી, છતાંપણ ઉચાટ થાય છે.

પછીની પંક્તિઓમાં તો કવિએ કમાલ કરી છે. એ નવોઢા નીંદર સાથે ફરિફાઈ કરે છે, નીંદરને કહે છે કે હું તને જીતવા નહિં આપું. આવી કલ્પના તો પ્રભુલાલભાઈ જ કરી શકે. એ વાટ જોવા બેઠી તો હીંડોળા ઉપર છે, પણ હિંડોળા ઉપર ઊંધ આવી જાય તો? એટલે હીંડોળાખાટને એ વેરણ કહે છે.

હવે પછીની પંક્તિઓમાં નવોઢા ઊંધ ન આવી જાય માટે આંખોને સોગંદ આપે છે, ખબરદાર જો તેં મટકું પણ માર્યું છે તો ! આવી અંતરને છબી જાય એવી કલ્પના ભાગ્યેજ કોઈ કવિતામાં જોવા મળે. અંતિમ પંક્તિઓ આ ગીતની શિરમોર પંક્તિઓ છે. એ કહે છે, આજે હું નથી જાગતી, મારો આત્મા જાગે છે, હું તો જાણે પવિત્ર ગંગા ઘાટે ઉભી છું, અને મુક્તિની રાહ જોઉં છું.

આજથી ૭૦-૭૫ વર્ષ પહેલા લખાયલા આ ગીતનું આકર્ષણ મારા મનમાં કોઈપણ આધુનિક ગીતથી જરાપણ ઓછું નથી.

-પી. કે. દાવડા

મિત્રો આપ બધાની  ઈચ્છાને માન  આપી વધુ વિગત અહી મળશે.

https://sureshbjani.wordpress.com/2011/06/16/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6%E0%AB%80-prabhulal-dwivedi/

https://junirangbhumi.wordpress.com/2011/02/18/%E0%AA%B5%E0%AA%A1%E0%AB%80%E0%AA%B2%E0%AB%8B%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%82%E0%AA%95%E0%AB%87-%E0%AA%AE%E0%AB%80%E0%AA%A0%E0%AA%BE-%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AB%8D%E0%AA%AF/

6 thoughts on “કવિતાનો આસ્વાદ

  1. વાહ બહુ સરસ સમજ આપી અને ઉદાહરણ આપીને સમજાવ્યું. બીજું તો કાંઈ નહીં કાવ્ય કેવી રીતે વાંચવું એ તો આવડશે.

    Liked by 2 people

  2. પ્રભુલાલ દ્વિવેદી નું આ ગીત નાટકોમાં વન્સ મોર મેળવતું હતું એ મેં જોયું છે.

    કાવ્યનો આસ્વાદ માટે જે સમજ આપી અને આ ગીત ઉપર જે આસ્વાદ કરાવ્યો એ ગમ્યું.

    Like

  3. Pingback: પ્રભુલાલ દ્વિવેદી, Prabhulal Dwivedi | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.