અહેવાલ

બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ બોલાવેલી “બેઠક”માં “ઘરના વિષય ને અનુરૂપ   “બેઠક” એજ ઘર અને ઘર એજ પાઠશાળા જેવું વાતાવરણ સર્જાયું. 

બેઠકની શાળામાં ઉમેરાયો એક નવો  વિષય “સહિયારું વાંચન’

bethak

બે એરિયામાં 29મી ઓગસ્ટે   ૨૦૧૫ ​એ​ ​ગુજરાતી “બેઠક” ​ ​ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ​​ કેલીફોર્નીયા ​ખાતે યોજાઈ.બેઠકનો વિષય હતો ​”ઘર  એટલે ઘર” ​આવા ​ગમતા વિષયને સર્જકોએ ખુબ વધાવ્યો.આજ ની બેઠકનું સંચાલન માનનીય પ્રતાપભાઈ એ કર્યું  સાથે કલ્પનાબેન અને બેઠકના આયોજક પ્રજ્ઞાબેને સંચાલનમાં સાથ આપ્યો.બેઠક માં મહેન્દ્રભાઈ મહેતાએ હાજરી આપી પ્રોત્સાહન આપ્યું .

meghlataben

“બેઠક”ની શરૂઆત કલ્પનાબેને પ્રાર્થના  દ્વારા કરી અને માનનીય મેઘલાતાબેનને શ્રધાંજલિ આપતા પ્રજ્ઞાબેને જણાવ્યું કે મેઘલતા બેન સદાય મારે માટે માર્ગદર્શક રહ્યા અને એમણે એના અનુભવની અને જ્ઞાન ની સંદુક દરેક ગુજરાતીને અર્પણ કરી સદાય માટે આપણા હ્યુદયમાં સ્થાન લઇ લીધું છે.​તેઓ ​એક સર્જક હતા કલાકાર હતા અને કલાકાર ક્યારેય મૃત્યુ પામતા નથી.બેઠક સદાય એમના માટે માનની લાગણી અનુભવશે.

26-08===01

કેલીફોર્નીયામાં ગુજરાતી “બેઠક”માં ગુજરાતી ભાષા ​અને  પદ્ય અને ગદ્યને માણનારો વર્ગ અત્રે એકત્રિત થઇને તેના સર્જન,સંવર્ધન અને પ્રચાર પ્રસારણ છેલ્લા ઘણા વખતથી  ખુબ સક્રિય રહી કરે છે. છે..જેની શરૂઆત ‘પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા દ્વારા થઇ હતી.આજે લોકભારતી વિદ્યા પીઢે સમાજ ચેતનાના જાગ્રત પ્રહરી શ્રી પ્રતાપભાઈ પંડ્યાને સન્માન પત્રથી નવાજ્યા છે,ત્યારે “બેઠક”, દરેક વાચક અને સર્જક ગૌરવની લાગણી અનુભવે છે.અમેરિકામાં “બેઠક”ની પ્રવૃતિને વેગ આપવા પ્રતાપભાઈ પંડ્યાનો સદાય સહકાર રહ્યો છે “પુસ્તક પરબ” ની આ પ્રવૃત્તિ દ્વારા અત્યાર સુધી ૪૦ લાખ રૂપિયાનાં પુસ્તકો વિવિધ વાંચકો સુધી પહોંચાડી પ્રતાપભાઈએ સંતોષની લાગણી સાથે જીવન સાર્થક્ય અનુભવ્યું છે. જે ખરેખર પ્રસંસનીય છે “બેઠક”માં લેખન સાથે વાંચન થવું જરૂરી છે તેને વેગ આપવા અર્થે એક નવો સુજાવ મહેન્દ્રભાઈ મહેતા એ આપ્યો કે સારા પુસ્તકો સહિયારા વાંચવા અને ચર્ચા કરવી  તે માટે  મહિનામાં એકવાર ભેગા થવું….પ્રજ્ઞાબેન આ વાત સાથે સમંત થતા કહ્યું સારા પુસ્તકો ના વાંચન દ્વારા સર્જન શક્તિ નો નિખાર આવશે જ, આપણા “પુસ્તક પરબ”નો મુખ્ય હેતુ લોકોને વાંચન માટે આકર્ષવાનો​ અ​ને એના દ્વારા વિકાસ સાધતા માત્રુ ભાષાને પરદેશમાં પણ ચલણમાં રાખવાનો છે..વાંચન વગર વિકાસ  થશે નહિ, તો જ્ઞાન લોકોની વચ્ચે જાયએ જરૂરી છે​​…માટે પુસ્તકો ​એમના ઘેર લઇ જાય..અથવા જે કોઈ વાંચી ન શકતા હોય તેમના માટે વાંચો, બિમાર કે વયોવૃદ્ધ વય્ક્તિ માટે વાંચો, બાળકોને વાંચતા  કરો અથવા  સહિયારા વાંચો,.​સાહિત્ય અને વાંચન  હૃદયની વિશાળતા અને સંવેદનાના વિકાસ માટે અત્યંત પ્રબળ માધ્યમ છે…

_DSC0023

ત્યાર બાદ દાવડા સાહેબે બેઠકના આ મહિનાનો વિષય “ઘર એટલે ઘર” ઉપર ખુબ સરસ રજુઆત કરી દાવડા  સાહેબની અનોખી બોલવાની શૈલી એ વાતાવરણ ને હળવું બનાવ્યું ત્યારબાદ જયવંતીબેન,કુન્તાબેન, વસુબેન,બધાએ સુંદર રજૂઆત કરી તો દર્શના વરિયાએ એક જુદીજ રીતે  ઘરની વ્યાખ્યા સમજાવી ઘર વગરના  લોકો અને અનાથ બાળકો માટે પોતાની રજૂઆત દ્વારા સંવેદના ઉભી કરી બેઠકમાં સેવાના ભાવ ઉપજાવ્યા, તો કલ્પનાબેને પોતાની  એક સુંદર વાંચન શૈલીના ​પ્રભાવ ની છાપ વાચી ઉભી કરી ઘરની દરેક દીવાલ અને ખુણા ને આવરી લેતો એમનો “ઘર એટલે ઘર”નો લેખ જાણે બેઠકના વિષયને આવરી લેતો સાબિત થયો  _DSC0046આ સાથે દેશી રેડીઓ જોકી જાગૃતિ બેઠકમાં આવી અને બેઠકના કાર્યને પ્રોત્સાહન આપતા પ્રથમ ઇનામ વિજેતા જયવંતીબેનને પ્રતાપભાઈ પંડ્યાના હાથે ટ્રોફી પણ આપી, જાગૃતિ સદાય બેઠકનું બળ બની રહી છે અને એણે કહ્યું આજના વિષયમાં મારા બે શબ્દો જોડતા કહીશ કે હું અહી આવું ત્યારે તમારા બધા પાસે જયારે બેસું છું ત્યારે ઘરની સંવેદના અનુભવું છું. .આ સાથે જાગૃતિબેનના પતિ નીલેશ ભાઈ એ પણ સુંદર વાત કરી કે આપણે શરીરને આપણું ઘર સમજી સાચો આત્માનો માર્ગ ભૂલ્યા છીએ તો દિલીપભાઈ શાહ ઘરની વાત કરતા ગળગળા થઇ ગયા અને કહ્યું ઘર ને છોડીયે અથવા છોડવું પડે ત્યારે એનું મુલ્ય સમજાય છે.

bethak-3_DSC0034પ્રતાપભાઈ પંડ્યા એ બધાને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે તમારે જે પુસ્તકો જોઈ​તા હોય તે બે​ડક મારી પાસે મંગાવશો હું ભારતથી મંગાવી દઈશ પરંતુ વાંચન ક્યારેય રોકશો નહિ…આ લોકભારતી વિદ્યા પીઢે દીધેલું સન્માન પત્રના તમે સાચા હક્કદાર છો પુસ્તક પ્રવૃત્તિ કરતાં દરેક પુસ્તક પરબના આયોજક, સર્જકો અને વાચકોની સાધનાનુ પરિણામ છે. હું આ સન્માન આપ સૌને વહેંચી આપુ છું. પુસ્તક પરબની પ્રવૃત્તિના વિકાસ માટે જોઈતી દરેક મદદ અને પ્રોત્સાહન માટે હું અહી બેઠો છું….હું ઓટલા પર સૂતેલો એક બાળક… માત્ર જ્ઞાન અને વાંચન થકી ડૉ. પ્રતાપભાઈ પંડ્યા બન્યો છું.લોકભારતીએ જે મૂલ્યો-અર્થસભર કેળવણી આપી તેનું હું સદૈવ જતન-સંવર્ધન કરતો આવ્યો છું અને હું ઇચ્છુ છું કે કોઈને વાંચવા માટે ક્યારેય પુસ્તકનો અભાવ ન વર્તાય  તેમજ વાંચન ને વેગ આપવા વાંચન કલબ ખોલવાના મહેન્દ્રભાઈના વિચાર ને ટેકો આપું છું..  સાથે પ્રવિણાબેન શાહ નો 75મો જન્મદિવસ પણ ઉજવ્યો.અને ઘરના વિષય ને અનુરૂપ ઘર જેવું વાતાવરણ પામી છુટા પડ્યા.

_DSC0035

_DSC0037_DSC0049_DSC0039 _DSC0058_DSC0060
_DSC0038 
_DSC0048_DSC0062

આ સાથે  બેઠક એક નવો  સંકલ્પ કર્યો કે  “આપણે સહુ સહિયારું વાંચન કરશું” અને આમ “બેઠક”માં એક “પુસ્તક પરબ”ના પાંખડા રૂપે સહિયારું વાંચન કરવા “વાંચન કલબ” શરુ કરવાનો સહિયારો નિર્ણય લેવાણો ​​અને બેઠકની શાળામાં ઉમેરાયો એક નવો  વિષય “સહિયારું વાંચન’

pragnaji-પ્રજ્ઞા દાદભાવાળા

6 thoughts on “અહેવાલ

  1. અહેવાલ ખુબ સુંદર લખાયો છે. હું પણ જાણે ત્યાં હાજર હતી એવી ભાવના થઈ. વાંચન ક્લબનો વિચાર ખુબ જ ગમ્યો. સાતમા ધોરણમા અમારા શિક્ષિકા બહેને પાટણની પ્રભુતા વાંચવાની ભલામણ કરી જેને મારો સારું સાહિત્ય વાંચવાનો શોખ વિકસાવ્યો, જે આજે મને મારા લખાણ ને વિકસાવવામા ખુબ મદદરૂપ થાય છે.

    Like

  2. Jayshree Krashna , Congretulations to all for great programme.
    Special Congretulations to Pratapbhai . Pustak-Parab. Activity is like river it flow is steady and smooth going on and on,,,,,there is no deed end and yes it meet to ocean=Sagar which also have no kinaro and very dip…… So we are proud of our mother toung. Nice to see function photo.

    Sent from my iPad

    >

    Like

  3. આ અહેવાલ વાંચી લાગ્યું કે બે એરીયાના સાહિત્ય રસિક નેટીજનો ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવા અને એમાં વૃદ્ધિ કરવા માટે ખુબ જ અભિનંદનીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. સૌને ધન્યવાદ .

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.