આજે શબ્દો સુના પડ્યા છે.

આજે જણાવતા દુખ થાય છે.કે આપણા બ્લોગના જાણીતા લેખિકા મેઘલતાબેન મહેતા એ ચિર વિદાય લીધી છે...   

 જીવનમાં અમુક વ્યક્તિ હંમેશ  માટે યાદ છોડી ને જાય છે..

અને કાયમ આપણા હૃદય માં સ્થાન લીઈ લે છે..

.મોતને મુઠ્ઠી માં લઈ ફરીએ ,

ઓ બાંધવા ,મુઠ્ઠીમાં મોત લઇ લઇ ફરીએ ,……

ધાર્યું કાંઈ થાય નહીં ,ધારેધરણી,

ફોગટ જંજાળ શીદ વ્હોરીએ ?…..

                                                            મેઘલતાબેન મહેતા

meghlataben

એકવાર માધવી બેન સાથે વાત થઇ ,એમના મમ્મી રીહેબમાં છે .પરંતુ માંદગી ની ફરિયાદ કરવાના ને બદલે પોતાની સર્જન શક્તિ કેળવી રહ્યા છે ..પોતાનામાં રહેલો સર્જક મુરજાય નજાય તે માટે વાર્તા લખી રહ્યા છે. ચમત્કાર થતાં નથી પણ ચમત્કાર કરવા પડે છે. દરેક વ્યક્તિમાં ચમત્કાર કરવાની શક્તિ છે.
પણ બહુ ઓછા લોકો એ વાત સમજે છે કે તેનામાં પણ ચમત્કાર કરવાની શક્તિ છે.
મોટાભાગે માણસો પોતાની શક્તિઓ વિશે જ સભાન હોતા નથી..
જયારે મેઘલતાબેન માંદગીમાં શરીર સાથે લડતા સમય નો સામનો કરતા પોતાના આત્માની વાતને અનુસરે છે ..
અને સર્જકના જીવને જીવાડે છે ..
“એમાં ભરવાનો ઉમંગ આપણે-
ને જીવનમાં રંગ પણ પૂરવાના આપણે જ ને !”
 કેટલો હકારત્મ અભિગમ ! બીજી ચાર લીટીમાં તો જાણે જિંદગીની ફિલોસોફી દ્રષ્ટી ગોચર થાય છે
જિંદગીને નોટબુક નહી ..સ્લેટ જેમ વાપરતાં જાઓ .
ભૂત ભેગો કરો નહીં.પણ ભૂતકાળ ભૂંસતાં જાઓ .
લખેલું બધું લૂછતાં જાઓ , ને નવું નવું લખતા જાઓ ,
ગૂંચવવાડે ગુંચવાઓ નહીં ,ને આજ આનંદે ઉજવાતા જાઓ ..

સમય વીતી ગયો …

હા ,લખવાનો સમય તો જાણે વીતી ગયો ..
કદાચ જીવન જાણે ખીચોખીચ -ને તોય ખાલી ખમ !
ખીચોખીચમાં તો શું લખવું ? ગૂંચવાડો  ગૂંચવાડો
 ને ખાલીખમમાં શું લખવું ?-શૂન્ય જ બધું .
છતાંય વર્ષે વર્ષે નવું વર્ષ આવે
  ને નવી વાતો નહિ તોય
 નવી  આશાઓ લાવે .
એમાં ભરવાનો ઉમંગ આપણે-
ને જીવનમાં રંગ પણ પૂરવાના આપણે જ ને !
વર્ષનું કામ તો દર વર્ષે .
પાછા આવવાનું -વર્ષે વર્ષે ,
નવા નક્કોર અને કોરા કટ્ટ
થઈને –

મેઘલતાબેન મહેતા

8 thoughts on “આજે શબ્દો સુના પડ્યા છે.

  1. ‘બેઠકનાં’એક સીનીયર સદસ્ય,મેઘલતાબેન,
    જીવન એવું જીવ્યા જાણે,’ફૂલ ગયું ફોરમ રહી.’
    પોતાનાં જીવનમાં રંગો પૂરી,અનેકનાં હૃદયમાં સ્થાન લઇ,
    પ્રભુ-પ્યારા થઇ ગયા આજે,નિજ ધામે પહોચી.
    હે,પરમાત્મા,આ શુદ્ધ આત્માની ચીર શાંતિ કાજે,
    ‘બેઠક’નાં સર્વેની પ્રાર્થના રહે,પરિવારજનોની સંગે.
    જય શ્રી કૃષ્ણ

    Like

  2. આદરણીય મેઘલતાબેનનાં દેહાંતનાં સમાચાર અત્યંત દુઃખદ.
    માતૃભાષા ગુજરાતીનો પાલવ, એમણે એમનાં સાહિયત્ય સર્જનનાં હાથ લંબાવી
    અમેરિકા બેઠા-બેઠા પણ પકડી રાખેલો. શરીર, ઉંમર, આધિ-વ્યાધિ કે ઉપાધિ એકેયને ગણકાર્યા વગર
    સાહિત્યને સર્જનને અને એ રીતે પોતાની જાતને સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્ત રાખી…!
    ઈશ્વર સદ્ગતનાં આત્માને મોક્ષ પ્રદાન કરે અને એમનાં પરિવારને આ ખાલિપો સહન કરવાની શક્તિ આપે.
    અસ્તુ.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.