થોડા થોડા થાવ વરણાગી-(12)નિહારિકા શશીકાંત વ્યાસ

મનુષ્યના શરીરમાં ‘મન’ નું કાર્ય મુખ્ય હોય છે.  કહેવત છે કે “મન હોય તો માળવે જવાય” એટલે કે મનનો દ્રઢ નિશ્ચય હોય તો તેમાં જરૂરથી સફળતા પ્રપ્ત થાય જ.  પરંતુ મનુષ્યના મનમાં ભગવાને કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓ મુકી દીધી છે જેનાથી જગત ચાલી રહ્યું ચે. પણ, ‘મન’ જ્યારે આ બધાથી મુક્ત થઈ જાય છે ત્યારે જ આત્માને પરમાત્મામાં મળવાને લાયક બનાવવાની પ્રવ્રુત્તિઓ કરવા માટે પ્રેરાય છે. જેઓએ સાચે જ જહતના લોકોનું કલ્યાણ કર્યું છે અને જગતના લોકોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે તેમણે ક્યારેય ભગવા વસ્ત્રો ધારણ કર્યા નથી, પરંતુ તેમેણે તેમના મનને જ ભગવુ બનાવ્યું છે.ભગવો રંગ તે વૈરાગ્યનું પ્રતિક છે.જ્યારે મન કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓમાંથી નીકળી જાય ત્યારે જ સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને ત્યારે જ ‘મન’ દ્વારા સાચા અર્થમાં લોકહિત થઈ શકે બાકી આ જગતમાં બધા જ વ્યર્થ ફાંફા છે.  આટે જ કહ્યું છે કે “મનને જીત્યું તેણે જગતને જીત્યું”.

મીરા, નરસિંહ, શ્રી રંગાવધૂતજી, શ્રી કેવલાનંદજી, શ્રી દાદાભગવાન જેવા ઘણાએ મનને જ ભગવું બનાવ્યું અને ઉપદેશ તેમેના જ જીવન દ્વારા આપ્યો કે દરેકમાં પરમાત્માના દર્શન કરી તે પ્રમાણેનું વર્તન વ્યવહાર કરો.  જ્યારે બીજાનામાં રહેલા દૈવીતત્વને સમજા જઈશું ત્યારે આપણે સાચો વ્યવહાર અને વર્તન કરીશું.

પરમાત્મા પ્રાપ્તિનો સાચો સાચો માર્ગ, “ભોગ” નો નહીં પરંતુ “ત્યાગનો” છે.જ્યાં ત્યાગની મનોવ્રુત્તિ છે ત્યાં જ સુખશાંતિ છે.સાચા અર્થમાં જ્યારે મનમાંથી કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓ નાશ પામશે ત્યારે જ બીજાનામાં પરમાત્માના દરશન થશે જ અને ત્યારે જ જગતમાં સાચુ સુખ અને શાંતિ સ્થપાશે.

જ્યારે મનમાં શ્રધ્ધા  ઉત્પન્ન થશે કે આત્માને પરમાત્મામાં ભળવાને લાયક  બનાવવો છે ત્યારે જ મન આ બધામાંથી મુ;ક્ત શઈ શકશે અને પરમાત્માને પ્રાપ્ત કરવાનો  સાચો લોકકલ્યાણનો માર્ગ અપનાવશે.

હું આ બધું તમને ઉપદેશ આપવા કહેતી નથી પરંતુ હું તો મારા જ મનને કહું છું કે હે! મન હવે તું થોડૂં થોડૂં પરમાત્માને પ્રાપ્ત કરવા તરફ વરણાગી બન, હવે અડસઠ તો ગયા પણ જે રહ્યા છે તેને સુધારવા( પરિવર્તન )માટે તું પરમાત્માને પ્રાપ્ત કરવાની સાચી શ્રધ્ધા પ્રાપ્ત કર. “શ્રધ્ધા શું શું ના કરે!શ્રધા અમ્રુતવેલ, મ્રુતને સજીવન કરે, એ શ્રધ્ધાનો ખેલ”

વાલીઓ લુટારો એક જ ક્ષણમાં મનની વ્રુત્તિઓને બદલીને વાલ્મિકિ ૠષિ બની ગયો તો હું પણ મારા મનને કહું છું કે હવે તું નિહારિકા નામના શરીરમાં રહેલા આત્માને પમાત્મામાં ભેળવવા લાયક બનારવા માટે વરણાગી બન.  પણ મન માને તો ને?

 નિહારિકા શશીકાંત વ્યાસ

1 thought on “થોડા થોડા થાવ વરણાગી-(12)નિહારિકા શશીકાંત વ્યાસ

  1. જ્યાં સુધી આપણે ઇન્દ્રિયસુખની પ્રાપ્તિને જીવનનું લક્ષ ગણ્યા કરીશું ,જ્યાં સુધી આપણે વિચારપૂર્વક તેનો સર્વથા ત્યાગ કરી શકીશું નહિ ત્યાં સુધી મનને વશ કરવાના આપણાપ્રયાસો નિષ્ફળ જશે .

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.