પુરૂષાર્થ -​પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો મારા થોડા વિચારો અહી મુક્યા છે કદાચ અધૂરા લાગે  અથવા આપને થાય તો ઉમેરી શકો છો। ..પરંતુ હું હંમેશા માનું છું કે  ધર્મ એ જીવન પધ્ધતિ છે,  તે આધ્યાત્મિક જીવન પધ્ધતિ છે. જેમાં સારો વ્યવહાર, પૂજાપાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન નો સમાવેશ થાય તો અને તેનું રૂપાંતર થાય અને પરિવર્તન દેખાય અને સહજતા એની મેળે આવે…..

આજની પેઢી ધર્મમાં માનતી નથી એવું ક્યારેક લાગે છે.કે  નવી પેઢીને ધર્મ પ્રતિ ખાસ આસ્થા દેખાતી નથી.નવી પેઢી ઉભરો ઠાલવતા કહે છે  જ્યાં જ્યાં ધર્મ જોવા મળે છે તે ક્રિયાકાંડનો વધારે હોય છે અને તાત્ત્વિક ઓછો હોય છે. કેટલીક જગાઓએ તો ધર્મ મનોરંજન જેવો લાગે છે દરેક ભજન કે સ્તવનના રાગ પિકચરોના ગીતો પર ગાય છે  અને એટલે જ . . .હાલની નવી પેઢી દિનપ્રતિદિન ભારતીય સાંસ્કૃતિ ધર્મ અને સંસ્કારથી વિમુખ થઈ રહી છે .ત્યારે રહી રહી ને વિચાર ઉપજે છે કે ધર્મનું ભાવી શું છે ?.ટેકનોલોજી ને લીધે ભૌતિક વિકાસ ઝડપ પકડી રહ્યો છે  તેના પરિણામે આજે ધર્મ નવી પેઢી પરથી પકડ ગુમાવતો જાય છે બીજા અર્થમાં ઉદાસીન કહી શકાય।. દેવ દર્શનને એ તૂત માને છે. રોજ સવારે દર્શને ઉપડનાર લોકોને જૂનવાણી ગણે છે.એવા લોકોની ટિકા કરે છે.મારી i દીકરી કહે છે .તમારા  ઘરના વડીલ ખુબ ધાર્મીક વૃત્તીના  હોવાથી તમે પણ ધાર્મીક બન્યા,સાધુ સંતોની સેવાકરી,દાન–ધરમપણ કર્યા , કારણ વડીલની ભાવનાને ઠેસ ન પહોંચાડવા કે તેને વધુ દુ:ખી  કરવા તમે ઈચ્છતા  નહતા। ..તેથી ધાર્મીક ક્રીયાઓ (વીધી–વીધાનો) અને ધાર્મીક વાચનમાંતમે  વધુ ને વધુ રસ લેધો. ધર્મનું વાચન/ મનન/ ચીન્તન અને સ્વાધ્યાય વધતાં ગયાં।….મારી દીકરી મારા કહેવાથી પરુષણ પર્વની સહભાગી થઇ। …દરેક વાતને તર્કના ત્રાજવે તોલવાની એની આદત. એટલે એ કયારેક પર્શ્ન પૂછ્યા કરે છે કે  ધર્મ અને ધાર્મિક ક્રિયાઓમાં ઊંડા ઉતરેલા હોવા છતાં શા માટે તે આપણા વર્તનમાં આવતું નથી? આ ગાથા પોપટની જેમ પઢયે જાઓ છો… આટલા વરસો સુધી જે કંઇ કરતી આવ્યા છો એ બધું ખોટું છે  ?.શું તમે તેનાથી હતાશ અને ગૂંચાયેલા નથી?. તમને આ ક્રિયા માર્ગ દેખાડે છે ?બસ માત્ર કરવા  ખાતર  કરો છો ?પાછળ .. રહસ્ય શું છે?.. આ સવાલ  મારી દીકરીનો હતો .બીજી દ્રષ્ટિએ પણ વિચાર કરી શકાય તો બની શકે  કોઇને નિરર્થક લાગતી વાત પણ સાર્થક લાગે.  આજે ધર્મને નામે અનેક જગ્યાએ ધતિંગ થતા રહે છે. ધર્મ હવે પૂરેપૂરો પ્રોફેશનલ બની ગયો છે.ત્યારે અનેક લોકો ખાસ કરીને યુવા પેઢીને  મંદિરો સામે, કહેવાતા ધર્મ સામે વિરોધ જાગે એ સ્વાભાવિક છે. દેવ દર્શનને એ તૂત માને છે. મને કહે ભગવાન તો આપણી અંદર છે. ભગવાન કંઇ તમે બધા માનો છો એમ મંદિરમાં રહેતા નથી. અરે, આજના મંદિરો તો પ્રોફેશનલ બની ગયા છે. બધા  વેપાર કરવા બેઠા છે. બધું   ધતિંગ બની ગયું છે। ….આ અનેક પંથ બ્રાંડ નેમ કેમ બની ગયા છે ?।.. શું તીવ્ર ધાર્મિક વૃતિ થી માનવી  કટ્ટર  નથી બની જતો ?. અને આ  જડ આ  ક્રિયા કોઈ પણ ધર્મ ને બહુ ઝડપથી સંપ્રદાયમાં ફેરવી  નાખે છે ને ?. ધર્મમાં માં પાખંડ નથી દેખાતો ?ધર્મ તો જીવનમાં ઉજાસ ઉઘાડે ને તો આમ કેમ ?….ધર્મ તો .જીવનને સરળ બનાવવામાં મદદ કરે તો આમ કેમ ?  

નવી જનરેશન પાસે પોતાની ફિલોસોફી છે….મને ઘણીવાર નવી જનરેશન વધુ ડાહી, સમજુ, હોશિયાર, સિન્સિયર, ફોકસ્ડ અને શાર્પ લાગ છે  નવી પેઢી તેજતરાર્ર અને તરોતાજા છે. તેના વિચારો એકદમ ખુલ્લા અને ઉમદા છે. રગેરગમાં થનગનાટ અને વિષય અંગેની સ્પષ્ટતા આજના યંગસ્ટર્સમાં છે એટલી કદાચ ભૂતકાળમાં કયારેય ન હતી.આજની પેઢી સાથે વાત  અને દલીલ સાંભળ્યા પછી એમ લાગે છે કે…. આપણે જે સાંસારિક જીવન જીવી રહ્યા છીએ તેને માન્ય ન કરવું. તેને જીવવાની સાથે જાણવું પણ જોઈએ.આજ ની પ્રજા કોઈ પણ કામ માત્ર કરવા ખાતર નથી કરતી એઓ કહે છે .પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય.અજ્ઞાનતાને લીધે સાચા-ખોટાનો નિર્ણય ન થવાથી ખોટી પ્રવૃત્તિઓની શક્યતા વધી જાય છે. જગતમાં તમામ દુઃખો અને તમામ અપરાધભાવોનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. મને હવે તેની વાતમાં તથ્ય દેખાય છે। …નવી જનરેશન પાસે પોતાની ફિલોસોફી છે…..મારી દીકરી મને  કહે છે કે કર્મવાદનો અર્થ આપણા ધર્મગુરુઓએ એવો સમજાવ્યો છે કે તારી આ ભવની બધી તકલીફો એ તારાં ગયાં જન્મોનાં કર્મોનું ફળ છે.જે તારે ભોગવવાં જ રહ્યાં જે એમને માન્ય નથી આ તો guilt feeling અપાવે .તો આગળ કેમ વધાય ? ભવ સુધારી લેવાની પ્રેરણા આપે છે. આ ભવ ગમે તેમ કરીને ભોગવી લો પણ આવતો ભવ સુધારી લો. મુઆ પછી સ્વર્ગ મેળવવા આ ભવમાં બધી વેદના, બધાં કષ્ટો ભોગવી લો. અત્યારે ભલે નરક ભોગવવું પડે; પણ મુઆ પછી સ્વર્ગ મળે તેવા પ્રયત્ન કરો. સ્વર્ગ કોઈએ જોયું નથી. મુઆ પછી કોઈ કહેવા પાછું આવવાનું નથી કે સ્વર્ગ કેવું અને ક્યાં છે.?…આમ અમુક વાતો એમને ગળે ઉતરતી નથી  ….મને એક દાખલો આપતા કહે એક યુવાન ગરીબોની સેવા કરતો હતો. બહુ જ સલૂકાઇથી તે ગરીબ વ્યકિત સાથે વ્યવહાર કરતો હતો. તેને પૂછ્યું કે, આવું તું શા માટે કરે છે? કંઇ લાંબો વિચાર કર્યા વગર બિન્ધાસ્ત થઇને તેણે કહ્યું, હું કોઇ પણ કામ માત્ર બે હેતુ માટે કરું છું. એક તો મને રૂપિયા મળતા હોય અને બીજું મને મજા આવતી હોય. ગરીબોની સેવા હું એટલા માટે કરું છું કારણ કે મને આનંદ આવે છે. સંતોષ આપે છે। …ગરીબો પર ઉપકાર કરવાની દાનતથી હું તેની સેવા કરતો નથી, આઇ ફીલ ગુડ. હું તો મને સારું લાગે એટલા માટે સેવા કરું છું.માણસ તરીકેની મારી જવાબદારી નિભાવવાનો આનંદ હું માણું છું…. યુવાન પેઢી મને છે કે ધર્મ એ જીવન જીવવવાની એક એવી ૫દ્ધતિ છે કે જેમાં માનવીય મહાનતાને ઘ્યાનમાં રાખીને એવી રીતે જીવવામાં આવે છે કે જેના પ્રકાશમાં લોકોને શ્રેષ્ઠતાની દિશામાં અગ્રેસર થવાની પ્રેરણા મળે

મારી દીકરી કહે હું પર્યુષણ માં દેરાસર ગઈ કારણ મને મારા જીવનના રહસ્ય ઉકેલવા છે .. મેં કહું કે બેટા .ધર્મ શબ્દનો અર્થ ઘણો વિશાળ છે. ધર્મ વિશે સમજવા જેવું એ છે કે પ્રાર્થના, ધ્યાન, જપ, તપ અનેક વસ્તુઓનો ધર્મમાં સમાવેશ થાય છે અને છતાં એ વસ્તુઓ પોતે ધર્મ નથી. જીવનનું રહસ્ય શોધવાના માનવીના પ્રયત્નોમાંથી ધર્મનો ઉદ્ભવ થયો છે.બેટા તું કહે છે પણ રોજ ક્રિયા કરવી જોઈએ  થોડા સમય પછી એ સહજ થઇ જશે  સતત ઉપયોગ વિના જ્ઞાન ન મેળવી શકાય.જ્ઞાન વિનાની, સાચી સમજણ વિનાની ક્રિયાની આડઅસરો ય ઘણી છે….જ્ઞાન બીજ સમાન છે તો ક્રિયા ફળ સમાન છે. જ્ઞાન અને ક્રિયાનો સુમેળ સાચું અધ્યાત્મ છે. ક્રિયાની સાથે સમજ ન હોય અને સમજની સાથે ક્રિયા ન હોય તો દોષોનો નાશ અને ગુણોની વૃદ્ધિ શક્ય નથી. શાસન એકલા જ્ઞાનમાં નથી કે એકલી ક્રિયામાં નથી.

ચાલ  તારી ભાષામાં સમજવું . તું .ડોક્ટર છે ને?  ડોક્ટર પોતાને થયેલા રોગનું જ્ઞાન હોય, તે માટેનાં દવા – ઉપચારનું ય જ્ઞાાન હોય. પણ તે દવા લેવાની ક્રિયા ન કરે તો સાજા થાય ?  હવે તુજ કહે તું કામે થી આવે છે કકડીને ભૂખ લાગી હોય ત્યારે તરલા દલાલનાં વાનગીનાં પુસ્તકો વાંચવાથી કંઈ પેટ ભરાય જાય છે ? માટે .જ્ઞાન એ ક્રિયા જોડિયા અને જાડિયા ભાઈ જેવી છે. એકમેક સાથે સંકળાયેલ છે. અમુક અપેક્ષાએ જ્ઞાન મુખ્ય છે, અમુક અપેક્ષાએ ક્રિયા. એકલું જ્ઞાન પાગળું છે, એકલી ક્રિયા આંધળી છે.. તારી પણ વાત સાચી છે મારે આંધળું અનુકરણ ન કરવું જોઈએ। ..જ્ઞાન માર્ગ બતાવે છે અને ક્રિયા રસ્તો કાપે છે. દેવ દર્શન ચરણવિધિ મને રોજ રસ્તો સુજાડે છે સારી સમજ ને સારી ક્રિયાનો મેળ ન જામે ત્યાં સુધી. આગળ કેમ વધાય। …તમારું વિજ્ઞાન શું કહે છે ? પ્રયોગ શાળામાં  કશુક શિદ્ધ કરવા પ્રયોગ કરો છો ને ? કોઈપણ કળા શીખવા માટે પહેલી ક્રિયા કરવી પડે પછી જ જ્ઞાન થાય. પ્રારંભ દશામાં ક્રિયાની મુખ્યતા છે, જ્ઞાનની નહિ, પ્રારંભિક ક્રિયા શ્રદ્ધાથી એટલે પરના જ્ઞાનના અવલંબનથી થાય,ક્રિયાના ગર્ભમાં જ્ઞાન રહેલું છે…… ક્રિયા કરતાં કરતાં જ અનુભવે  જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા અને શક્તિનો વિકાસ થાય છે. .શરૂઆતમાં જ જાણી લો કે આ કામ શા માટે કરવામાં આવી રહ્યું છે. માનવી પાસે વિચાર શક્તિ છે પશુ અને મનુષ્ય વચ્ચેનો ભેદ અહીંથી જ શરૂ થાય છે. ધર્મમાં મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ કહો છે  મનુષ્યભવનું મહત્ત્વ…છે ….આવી અતિ સૂક્ષ્મ રહસ્યની વાત જૈન ધર્મ સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે..મનુષ્ય પાસે એ શકયતા રહે છે કે તે કામ કરતા પહેલાં જાણી શકે છે કે તે કરવાથી શું થશે?ધર્મ એ જીવન પધ્ધતિ છે, પણ તે આધ્યાત્મિક જીવન પધ્ધતિ છે. જેમાં સારો વ્યવહાર, પૂજાપાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન નો સમાવેશ થાય છે.ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નહીં, પણ વ્યક્તિની બંધ આંખોને ખોલી આપતું વિજ્ઞાન છે જ્યારે આપ જાણીને કોઈ કામ કરો છે તો તે સદ્કર્મ જ થાય છે. સદ્કર્મનું પરિણામ હોય છે રૂપાંતરણ. તે આપણી અંદર પરિવર્તન લાવે છે. જેવા આપણે કર્મને વ્યક્તિત્વ સાથે જોડીએ છીએ, તેનું પરિણામ વ્યક્તિત્વમાં દેખાવા લાગે છે..ધર્મને જયારે સહજતા પૂર્વક જીવન બનવ્યે ત્યારે જે પરિવર્તન આવે છે તે આત્મા ને  જે આપણને પરમાત્મા તરફ લઈ જાય.આ માત્ર જૈન ધર્મ નહિ દરેક ધર્મની તાકાત છે.

શરૂઆતની અવસ્થામાં ક્રિયા વિના જ્ઞાનનો પરિપાક થાય નહિ. અમુક હદ સુધી ક્રીયાનયની મુખ્યતા છે, અમુક હદ પછી જ્ઞાનનયની મુખ્યતા છે…ક્રિયામાં ય એવો પ્રાણ પૂરીએ કે તે ક્રિયા જોઈને બીજાને પણ તે કરવાનું મન થાય.આમ કરવા માટે ક્રિયા કરતી વખતે ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ. ક્રિયામાં રસ નથી આવતો, ઉત્સાહ નથી જાગતો એવી તારી જેમ  ઘણાની ફરિયાદ છે. આના બે કારણો છે :  એક તો ક્રિયાના બળ પર શ્રદ્ધા નો અભાવ,..અને બીજું ક્રિયાના ફળ પર નજર નથી. રસ એ દિલની સમજ પર આધારિત છે. આમ જ્ઞાન હશે તો ક્રિયા કંટાળાજનક નહિ લાગે. જ્ઞાન એટલે માત્ર ક્રિયાની સમજ એટલું જ નહિ, એ ક્રિયા વગેરેથી પોતાના આત્માને શું લાભ થશે એનું ય જ્ઞાન જરૃરી છે. ક્રિયા પ્રત્યે બહુમાન નથી તેથી અવિધિએ પગપેસારો કર્યો છે. અને જડતા પણ પ્રવેસી છે…ઘણાને પ્રશ્ન થાય છે કે જ્ઞાન ને ક્રિયા કરીએ તો શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય, આત્માને શો લાભ થાય ? આત્માને લાભ તો શુભ ભાવ, શુભ પરિણતિથી થાય છે ને શુભ ભાવ જ્ઞાનથી થાય છે।અને તે જડતાની વાત કરી તે પણ સાચી છે  ક્રિયાકાંડને જ સર્વસ્વ માનવા-મનાવવામાં આવે છે ત્યારે ધર્મ, સાધના કે આધ્યાત્મિકતાનું આચરણ અર્થ વગરનું અને નિષ્પ્રાણ બની જાય છે.માનવની અંદર રહેલા અજ્ઞાનરૂપી આવરણને અળગું કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપવો એ સાધનાનું ધ્યેય છે. એનું જ નામ સાધના(આત્માનો અનુભવ કરાવનારી ક્રિયા. છે).ક્રિયા જાતનું-સેલ્ફનું રીયલાઈઝેશન પ્રાપ્ત કરવાને માટે  મદદ કરે છે અતિવ્યસ્ત જીવનમાંથી તણાવ ઘટાડો છે ને ।..ધર્મથી ઊચ્ચ કોટીની માનસિક તંદુરસ્તી માણસો  એમાં કોઈ શક નથી। ….આત્માનો અપરોક્ષ અથવા તો પ્રત્યક્ષ અનુભવ એ જ ધર્મનું ધ્યેય છે… .જીવનમાં જ્યાં છો ત્યાં રહીને, અને જે પ્રવૃત્તિ કરો છો તે કરતાં રહીને તમે એવી રીતે આત્મવિકાસની સાધના કરી શકો છો.ધર્મને સમસ્ત જીવનનું અવિભાજ્ય અંગ બનાવી ધ્યો।યાદ રાખો કે ક્રિયા ખરાબ નથી; પરંતુ ભાવનારહિત થઈને આંધળી પ્રવૃત્તિ કરવામાં આવે તે ખરાબ છે. માટે સદ્ ભાવનાને તમારી પ્રત્યેક પ્રવૃત્તિનો પ્રાણ બનાવી દો તો પ્રવૃત્તિ જ સાધના બની જશે.  …તું .દાક્તર હો તો દરદીને ઈશ્વરના પ્રતિનિધિરૂપ માન,વધારે ધ્યાન ધન કમાવા તરફ નહિ, પરંતુ દરદને દૂર કરવા તરફ આપજો. તો દાક્તર તરીકેનું કામ કરતાં-કરતાં પણ, જીવનના વિકાસના ક્ષેત્રમાં આગળ વધી શકશો. આજ તો આત્માના સાક્ષાત્કાર માટેનો પુરૂષાર્થ છે. 

​પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

5 thoughts on “પુરૂષાર્થ -​પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

  1. ધર્મની વ્યાખ્યા કરવી શક્ય નથી. એકના માટે ધર્મની વ્યાખ્યા બીજાની વ્યાખ્યાની થોડી ઘણી તો અલગ હોવાની છે. અધર્મની વ્યાખ્યા સહેલી છે.

    Like

  2. Karma Theory is very important to understand the faith on religion , i may wrong but movement of Satyug to Kalyug based on Karma Theory. nice blog , Thank you .

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.