વૈષ્ણવ જન તો
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે,
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે … વૈષ્ણવજન
સમ દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે,
ચાર ધોરણ સુધી અભ્યાસ કરનાર વ્યક્તિ પાસે સકળ બ્રહ્માંડથી માંડી માનવતાનું આટલું ઊંડું તત્વ જ્ઞાન ક્યાંથી આવ્યુ? નથી લાગતું કે બહુંજ અલ્પ માનવીને આવી અદભૂત શક્તિ ઊપલબ્ધ થાય છે. તેને માટે કોઈ નિશાળમાં શિખવા જવાની જરૂર રહેતી નથી..સામાન્ય કુંટુંબમાં જન્મ થયેલ એવા નરસિહ મહેતાએ જે જે પદ, કાવ્યો એના હ્ર્દયમાંથી ઉદભવ્યા છે કે વિશ્વનો કોઈ પણ મોટો ફિલોસૉફર પણ આવી કલ્પ્ના એ વખતના સમય કાળમાં કરી ના શકે.જીવ ધર્મ, માનવતા, આરાધના અને આત્માની આવી ઊંડી ફિલોસૉફી એક ગુજરાતના નાનકડા શહેરમાં જન્મેલા બાળમાં આવી અને કાવ્યરૂપે પ્રકટી એ આપણાં ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન રૂપે ગણી શકાય..જે સમય કાળ અને રૂઠીચુસ્ત સમાજમાં જન્મેલા નરસિહ મહેતા આવું માનવતાને શીખ આપતું કાવ્ય..વૈષ્ણવન જનતો તેને રે કહીએ..જે પીડ પરાઈ જાણે રે..જેણે સર્વે માનવને એકજ સમાજી ‘તે સમયમાં પોતાના રૂઢીચુસ્ત સમાજનો ઈન્કાર કરી”હરીજનવાસ”માં ભજન ગાઈ ભાઈ-ચારાની લાગણી વ્યકત કરી, સૌને પોતાના માની , કોઈ ભીદભાવ વગર એમની સાથે મળી ભજન ગાયા. તે સમયકાળમાં અસંભવિત હતું તે વિરોધાભાસ વચ્ચે અચળ રહી, વિરાધ સાથે પોતાનો સંદેશ સ્પષ્ટ રીતે સમાજમાં વ્યક્ત કરે છે..
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે …
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે,સાચો હરિભક્ત કોણ?..બીજાના દુંખના આંસુ પીએ છતાં કોઈ પણ જાતનું અભિમાન વ્યક્ત ન કરે એજ સાચો માનવ? એજ સાચો હરીભકત જે વિશ્વમાં સૌને કોઈ પણ ભેદભાવ વગર , કોઈની પણ કશી નિંદા કે ટીપ્પણ ના કરે.આવી સુંદર ભાવના તો વિશાળ મન ધરાવતા માનવીમાંજ ઉદભવે,જે કવિ આવી તૃષ્ણા વગરની વિરલ વ્યક્તિની મા ને ધન્ય ગણે છે.
ગાંધીજી જેવી વિશ્વ-વિખ્યાત વિભુતીએ આ કાવ્યને પોતાનું માન્યું ,રોજની પ્રાર્થનામાં સ્થાન આપ્યું, કારણ એજ કે પોતે સત્યના પુજારી હતા , માનવ ધર્મી હતાં જે કાવ્યમાં માનવતા શબ્દે શબ્દમાં અમૃત સમાન બિંદુંબની સરતા રહે છે. આજ પણ આ કાવ્યના સુર જાહેરસભામાં સાંસ્કૃતિક કાર્યકમમાં રેડિયો સ્ટેશન પર આજ પણ ગુંજતા રહે છે.અને ભવિષ્યમાં પણ ગુજરતા રહેશે તેની મને ખાત્રી છે. આવા માનવાતાલક્ષી કાવ્યો હંમેશા અમર રહે છે.જીવનમાં સાચા માનવ બનો, એ ઘણુંજ અઘરૂ કાર્ય છે એજ આકાવ્યમાં સંદેશ આપતા રહે છે જે વ્યાક્તિ મોહ-માયાની માયાઝાળ વચ્ચે રહીને પણ દ્ર્ષ્ઢ રહી શકે તેવી વિરલ વ્યક્તિને તીરથ કરવાની શી જરૂરત છે? આવો સુંદર સંદેશ આપતા કાવ્યને મારા કોટી કોટી વંદન..ઈશ્વર તો એનેજે પ્રાપ્ત થાય જે કામ-ક્રોધ અને કપટ ઉપર કાબું રાખી શકે.
આજના અધુનિક યુગમાં જે વેર-ઝેર અને માનવી માનવી વચ્ચે ફૂકાતા ઝેરીદાવનળને શાંત કરવા આ નરસિંહ મહેતાનું કાવ્ય એક અદભૂત ચમતકારી સંદેશ લઈને આવ્યું છે જેનો અનુવાદ વિશ્વની જુદી જુદી ભાષાઓમાં થાય તો જરૂર આ કાવ્ય વિષ્વશાંતી માટે સંદેશારૂપ બની જશે.
-વિશ્વદીપ બારડ-houston, tx. 77095-
phone: 281-463-2354
ભક્ત કવિ નરસિહ મહેતા નાં આ કાવ્યનો શબ્દેશબ્દ અમૂલ્ય છે. વૈષ્ણવ -જન શબ્દ નો સાચો અર્થ સમજાવ્યો છે.આર્ય સંસ્કૃતિ ની સમજ પ્રમાણે
સૃષ્ટિ નાં પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ છે. અને એમની ભક્તિ કરવી એટલે સાચા વૈષ્ણવ થવું. અને તે કેવી રીતે થવાય તે ખૂબ સરળ ભાષામાં
આ કાવ્યમાં વર્ણવ્યું છે. આપનું સુચન ” આ કાવ્યનું દુનિયાની બધી ભાષાઓ માં ભાષાંતર થાય તો……” તે ઘણું જ ઉત્તમ છે. એને મારું અનુમોદન છે.
ફૂલવતી શાહ
LikeLike
If I had to name the best poem in Gujarati language, my choice will be this Vaishnav Jan to song. It has become an International anthem of nonviolent protest! It has been translated in many languages of the world. I also recently heard it in Qawaali form on the Internet by a group of young Muslim boys from Houston area! All essential qualities of a true devotee of God is described in this song. If the song is practiced in totality then in India or in the world there will not be any war, any corruption, any rape etc. This is a terrific challenge to any poet to write an all encompassing song in just ten lines to describe all desirable qualities of a true and noble human being! In a teacher’s words, Narsinh Mehta gets A+ grade for this poem. It deserves to be considered as the Best Song of Gujarati Literature in the world literature of poetry! What is most amazing is that it is more than 550 years old and written by a person without any degree. This is the shining example of divine awakening of heart!.
LikeLike